Biporjoy Vavajodu Sahay 2023 : અરબી સમુદ્રમાં સર્જાયેલુ શક્તિશાળી વાવાઝોડું બિપોરજોય કચ્છના દરિયા કાંઠે લેન્ડફોલ થયું હતુ. આ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાય તે પહેલા જ રાજ્ય સરકારના આગોતરા આયોજનના કારણે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ 9 તાલુકાના 442 ગામો અસરગ્રસ્ત જરૂર થયા હોવાનું સર્વેમાં જાણવા મળ્યું છે. હવે વાવાઝોડાએ તબાહી મચાવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી પર ધ્યાન આપી રહી છે. એવામાં સરકાર દ્વારા કેશડોલ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.
મહેસૂલ વિભાગના ઠરાવથી કુદરતી આપત્તિઓના કારણે અસરગ્રસ્તોને દૈનિક રોકડ સહાય (કેશડોલ્સ) ની સહાય ચૂકવવાનું નક્કી કરેલ છે. જેના ધારા-ધોરણો બહાર પાડેલા છે. જ્યારે SDRF/NDRF અન્વયે અપાતી તમામ પ્રકારની સહાય અસરગ્રસ્ત આપવામાં આવે છે. જે લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં DBT(Direct Benefit Transfer) અથવા PFMS (Public Fund Management System) મારફતે જ ચૂકવવાની સુચનાઓ અમલમાં છે.
પરંતુ, બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારમાં હાલના સંજોગોમાં બેન્કીંગ વ્યવહાર મુશ્કેલ બને તથા અશક્ય છે. આવા સંજોગોમાં કેશડોલ્સની રકમ અસરગ્રસ્ત ઇસમોના ખાતામાં જમા કરવી અને તેનો ઉપાડ કરવો તે પણ ખૂબ જ કઠિન થઈ જાય. જેને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશ ડોલ્સની સહાય રોકડમાં આપવાનું નક્કી કરવામાં આવેલ છે.
Biporjoy Vavajodu Sahay 2023: બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ ને સહાય
યોજનાનુ નામ | Biporjoy Cyclone Sahay 2023 |
આર્ટીકલ પ્રકાર | સરકારી યોજના |
વ્યકતિદિઠ મહતમ રૂ. | દૈનિક રૂ.100 (વધુ મા વધુ રૂ.500) |
બાળકદિઠ રકમ | દૈનિક રૂ.600 (વધુ મા વધુ રૂ.300) |
મહેસુલ વિભાગે ઠરાવ કર્યો છે કે, બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે સહાયતાના ધોરણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રાજ્ય સરકાર પાંચ દિવસ લેખે સહાયતા આપવામાં આવશે. પુખ્તવયના વ્યક્તિને દૈનિક રૂપિયા 100 લેખે અને બાળકોને દૈનિક લેખે રૂપિયા 60 ચુકવવામાં આવશે. બિપરજોય વાવાઝોડા અસર ગ્રસ્ત વિસ્તારમાં સ્થળાંતર કરાયેલ વ્યક્તિઓને કેશડોલ્સ ચૂકવામાં આવશે. મહત્તમ 5 દિવસની મર્યાદામાં કેશડોલ્સની ચુકવણી કરવામાં આવશે.
5 દિવસની કેશડોલ ચૂકવાશે
બિપોરજોય વાવાઝોડામાં અસરાગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક સહાય આપવી જરૂરી છે. જેથી આ સહાયની રકમ રોકડમાં આપવા સરકાર દ્વારા નક્કિ કરવામાં આવ્યું છે. આ સહાય કોણે મળશે અને ક્યાં-ક્યાં જિલ્લાઓમાં મળશે. તેની સંપૂર્ણ જાણકારી મેળવીશું.
Biporjoy Vavajodu Sahay | શું છે કેશડોલ્સ સહાય?
- કુદરતી આપત્તિઓના કારણે અસરગ્રસ્તો વિસ્તારોના નાગરિકોને દૈનિક રોકડમાં સહાય આપવામાં આવે છે. તેને કેશડોલ્સ સહાય કહેવામા આવે છે. વહિવટીતંત્ર દ્વારા Biporjoy Cyclone Sahay 2023 વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારના અગમચેતીના ભાગરૂપે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ છે.
- વહિવટીતંત્ર દ્વારા આવા સ્થળાંતર પામેલ અસરગ્રસ્ત વિસ્તારના વ્યક્તિઓને રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટેની મુશ્કેલી નિવારવા રોકડ રકમની સહાય ચૂકવવાની જરૂરિયાત ઉદ્દભવતા મહેસૂલ વિભાગના તા.૧૮/૦૩/૨૦૨૧ ના સંદર્ભથી ઠરાવ્યા મુજબની સહાય ચૂકવવામા આવે છે.
Biporjoy Vavajodu Sahay | ક્યાં-ક્યાં જિલ્લાઓમાં સહાય મળશે?
બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્ત પામેલા જિલ્લાઓમાં આ સહાય મળશે. જેની યાદી નીચે મુજબ છે.
- અમદાવાદ
- અમરેલી
- આણંદ
- ભરૂચ
- ભાવનગર
- દેવભૂમિ દ્વારકા
- ગીર સોમનાથ
- જામનગર
- જુનાગઢ
- કચ્છ
- રાજકોટ
- મોરબી
- નવસારી
- પોરબંદર
- સુરત
- વલસાડ
- બોટાદ
- ખેડા
- સુરેન્દ્રનગર
- ગાંધીનગર
- પાટણ
- મહેસાણા
Biporjoy Vavajodu Sahay મહત્વની લિન્ક
Mukhyamantri Matrushakti Yojana 2023 | જાણો યોજના વિષે મળશે આટલો લાભ